Monday 17 April 2017

તૈયારી કેવી રીતે ? Interview of Shree Charansinh A. Gohil (DY.SO)

       નામ  : ચરણસિંહ એ. ગોહીલ
             રેંક   : ૦૧૨-સમગ્ર ગુજરાતમાં બારમાં ક્રમાંકે ઉત્તિર્ણ
ફોટો:

શોખ : લેખન, હોલીવુડ મુવીઝ 
અભ્યાસ : બી.ફાર્મ
જીવનનું ધ્યેય : ક્લાસ-૧ અધિકારી બની સ્વયં ઉન્ન્તિ દ્વારા                            લોકોપયોગી કાર્યો કરવા. 


અનુભવો:
પરીક્ષા,સર્વિસ
કયા વર્ષે આરંભ (આશરે)
વિશેષ/નોંધ
પોલીસ સબ ઈન્સપેક્ટર
૨૦૧૩ થી ૨૦૧૭
અમદાવાદ શહેર
સેશન્સ કોર્ટ –ક્લાર્ક
૨૦૧૩
ગાંધીનગર
ફોરેસ્ટ એકાઉન્ટન્ટ
૨૦૧૩
Not Joined
નાયબ ચીટનીશ
૨૦૧૩
Not Joined
બિનસચિવાલય ક્લાર્ક
૨૦૧૨
આંકડાશાસ્ત્ર બ્યુરો
CDS-UPSC
૨૦૧૧
Up to Conference.


પ્રશ્ન: આ સફળતા માટે અને સામાજીક જવાબદારી રૂપે આપના સમય માટે ટીમ
     વતી આભાર.
શ્રી સી.એ.ગોહીલ :   આપનો આભાર, આપ ખુબ સારૂ કાર્ય કરી રહ્યા છો .


પ્રશ્ન: આ પરીક્ષા વિશેના તમારા અનુભવો જણાવશો.
શ્રી સી.એ.ગોહીલ : ખૂબ જ ઓછે મહેનતે આયોજન પૂર્વક થોડા દિવસની મહેનતે લખાણની અનુભવી આવડત દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૨મો ક્રમ મેળવ્યો.




પ્રશ્ન: શું તમે માત્ર આ જ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે કોમન
      તૈયારી કરતા હતા ?
શ્રી સી.એ.ગોહીલ :  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ:૧-૨ ની પરીક્ષાની તૈયારીની સાથે સાથે આ પરીક્ષા માટે તૈયારી કરેલ.

પ્રશ્ન: શું તમે માનો છો કે આજના સમયમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે ?
      શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ : ચોક્કસ મહેનત દ્વારા સરકારી નોકરી મેળવવી સહેજ પણ મુશ્કેલ નથી. પરંતુ ગળાકાપ હરિફાઈ અને બેરોજગારીના સમયમાં માત્ર થોડી જગ્યાઓ પર પસંદગી મેળવવાના અર્થેમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ થઈ શકે.


પ્રશ્ન: આ પરીક્ષા માટે આપે ટાઈમ મેનેજમેન્ટ કેવું પ્લાન કરેલ ?
શ્રી સી.એ.ગોહીલ :  પરીક્ષા લેખિત પ્રકારની હોઈ કરન્ટ અફેર્સ તથા જનરલ સ્ટડીઝ પર વધુ ધ્યાન આપેલ. તથા લખાણમાં વધુ મૌલિકતા લાવવા માટે છાપાઓનાં લેખ તથા મેગેઝીનો વાંચેલ.



પ્રશ્ન: શું આપ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન ક્યારેય નિરાશ થયા હતા?
     આપની સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ :  નિરાશા અને સ્પર્ધાત્મક પરીક્ષા એકબીજાના પ્રર્યાય છે. ઘણી વખત પરીક્ષા લેનાર સંસ્થાના વિલંબ તથા કોર્ટમાં થતાં કેસોથી નિરાશ થયેલ પરંતુ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું ન જોઈએ.


પ્રશ્ન: શું આપ વ્યક્તિગત તૈયારીમાં માનો છો કે ગૃપ તૈયારીમાં ? શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ :  સારૂ અને હેલ્ધી સ્પર્ધા કરે એવુ ગૃપ હોય તો તૈયારી ગૃપમાં કરી શકાય , પરંતુ આવુ ગૃપ ન મળતા મે વ્યક્તિગત તૈયારી કરેલ.


પ્રશ્ન: આપની આ સફળતા અંગે આપ મહિલાઓને શું પ્રેરણા આપશો?
શ્રી સી.એ.ગોહીલ :  નાયબ સેક્શન અધિકારીએ મહીલાઓ માટે એક પરફેક્ટ નોકરી છે તેમજ આજના જમાનામાં નાયબ મામલતદાર તરીકે પણ મહીલાઓ ફરજ બજાવે છે. તેમણે પૂરતી મહેનત કરવી જોઈએ.

પ્રશ્ન: આપની આ સફળતા માટે આપ સીધી રીતે કોને શ્રેય આપશો?
શ્રી સી.એ.ગોહીલ :  મારી આ સફળતા માટે હું ઈશ્વર , માતા-પિતા, મિત્રો, મોટાભાઈ વિક્રમસિંહ ગોહિલ તથા હરેન્દ્રસિંહ પરમારનો આભારી છું.




પ્રશ્ન: ભવિષ્યમાં આપ શું બનવા ઈચ્છુક છો ?
શ્રી સી.એ.ગોહીલ :  ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી વર્ગ-૧ અધિકારી બનવા ઈચ્છું છુ.


પ્રશ્ન: આપે મટીરીયલ (વાંચન સાહિત્ય) બાબતે શું કાળજી લીધી હતી? (શું
      વાંચવુ અને શું ન વાંચવુ.)
શ્રી સી.એ.ગોહીલ : પરચૂરણ સાહિત્ય વાંચવા કરતા કોઈ સ્ટાન્ડર્ડ બુક વાંચવી અને એકથી વધુ બુક વાંચવી. અંગ્રેજી માટે લ્યુસન્ટ પ્રકાશન અને ડો.એમ.આર. પંચાલના પુસ્તકો ખૂબ જ ઉપયોગી રહ્યા. વર્તમાન પ્રવાહોથી અવગત રહેવું.




પ્રશ્ન: તૈયારી કરી રહેલ મિત્રોને માટે કંઈ વિશેષ સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ :  પરીક્ષાની સફળતા જેટલી ઝડપથી મેળવશો એટલો સંઘર્ષ ઓછો થશે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.


પ્રશ્ન: ટીમનો પ્રયત્ન વધુ કેવી રીતે અસરકારક બનાવી શકાય ?
શ્રી સી.એ.ગોહીલ :  વધુમાં વધુ વિધાર્થીઓ સુધી પહોંચી ખોટા માર્ગે ન દોરવાય તેવુ માર્ગદર્શન પહોંચાડવુ.

ટીમ : આપનો ફરીથી ખૂબ આભાર.

વિજેતા: મને ખુશી થઈ.

No comments:

Post a Comment